મોરબી તાલુકાના નારણકા ગામમાં ગઈકાલે તા. 6 ના રોજ ગૌશાળાના લાભાર્થે પીઠડના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું.

નારણકા ગામના સેવાભાવી મનસુખભાઇ તથા અશોકભાઈ મોરડીયાના કાકા કરશનભાઈ ઓધવજીભાઈ મોરડીયાના પુત્રના ઘરે પુત્રના વધામણાં થતાં પીઠડના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીઠડ ગૌ-સેવા રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરી રામદેવપીરનું જીવન ચરિત્ર રજુ કરવામાં આવ્યું હતું. રામામંડળ નિહાળવા સૌ ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી અને રામામંડળમાં ગૌશાળાના લાભાર્થે 3 લાખ 14 હજાર ફાળો એકત્રિત થયો હતો.
