Tuesday, June 23, 2026

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેનના જન્મદિવસે બટુક ભોજન કરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેનના જન્મદિવસે બટુક ભોજન કરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

મોરબી: મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનાને આટલા દિવસો વીત્યા બાદ હજુ પણ પીડિત પરિવારો તે દિવસને ભૂલ્યા નથી ત્યારે આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મનીષાબેન રાજેશભાઈ ચૌહાણના જન્મદિવસ નિમિતે બટુક ભોજન કરાવ્યું હતું અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

મોરબીના સામા કાંઠે નઝરબાગ રેલ્વે સ્ટેશન સામે ગાંધી સોસાયટીમા રહેતા મનીષાબેન રાજેશભાઈ ચૌહાણનુ દુર્ઘટનામાં મોત થયું હતું અને આજે સ્વ. મનીષાબેનનો જન્મદિવસ હોય ત્યારે ચૌહાણ પરિવાર દ્વારા બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું પોતાની લાડકી દીકરીની સ્મૃતિમાં બાળકોને ભોજન કરાવી જન્મદિવસ ઉજવ્યો હતો અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related Articles

Total Website visit

1,609,143

TRENDING NOW