Monday, May 5, 2025

મોરબી જલારામ મંદિર ખાતે રાહતદરે અડદીયાનું વિતરણ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ અમૂલ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયાનુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ આજથી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યકતા નથી. અડદીયા વિતરણ સમગ્ર શિયાળાની મોસમ દરમિયાન કરવામાં આવશે. દરરોજ તાજા અડદીયાનું પ્રતિકીલો રૂ.૩૦૦ ના ભાવે વિતરણ કરવામાં આવશે. શુધ્ધ ઘીમાંથી બનેલ સુકામેવાથી ભરપુર અડદીયા મેળવવા જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યા પુરી રોડ, મોરબીનો સંપર્ક કરવા જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,749

TRENDING NOW