મોરબીમાં સિંધી સમાજ દ્વારા શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે
મોરબી સિંધી સમાજ દ્વારા ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના ચાલીસા સાહેબના પુર્ણાહુતી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ તા. ૦૧-૦૯ ને ગુરુવારે ઉજવાશે જેમાં સવારે ૦૭ : ૩૦ કાલકે ધ્વજા રોહણ, પુર્ણાહુતી પૂજા વિધિ સવારે ૯ કલાકે, સવારે ૧૦ : ૩૦ કલાકે અખ્ખો-પજંડા-આરતી અને પલ્લવ તેમજ બપોરે ૧૨ કલાકે ભંડારો પ્રસાદ સહિતના કાર્યક્રમો સ્ટેશન રોડ પરના સિંધુ ભવન ખાતે યોજાશે
તેમજ સાંજે ૬ કલાકે ભેહરાણા સાહેબ, રાત્રે ૦૮ : ૩૦ કલાકે જ્યોત પરવાન અને રાત્રે ૯ કલાકે ભંડારો પ્રસાદ કાર્યક્રમ ગોકુલ ફાર્મ, ગણેશનગર બાજુમાં વાવડી રોડ મોરબી ખાતે યોજાશે જેમાં પધારવા ધાર્મિક ઉત્સવ સમિતિ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા સમાજના ભાઈઓ-બહેનોને આમંત્રણ પાઠવ્યું છે






