મોરબી: આજે યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ પ્રસંગે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવણી કરાય છે જે નિમિતે મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પ્રતિમાને હારતોરા કરીને ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમા ખાતે વિશ્વ હિંદુ પરિસદ અને બજરંગ દળની ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા અને યુવા દિવસની ઉજવણી કરાઈ હતી.





