મોરબીમાં યુવકે ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી
મોરબી: મોરબીના આલાપ રોડ પર મધુરમ સોસાયટીમાં રહેતા યુવકનું ગળોફાસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ કિશનભાઇ પ્રવીણભાઈ અઘારા ઉ.વ.૨૪ રહે. મોરબીના આલાપ રોડ પર મધુરમ સોસાયટી શેરી નં-૦૨ તા.જી. મોરબી વાળાનુ ગત તા. ૦૭-૦૯-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.