મોરબીની ધરમનગર સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષિય યુવાને એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ ધરમનગર સોસાયટીમાં રહેતા અંબારામભાઇ બાબુભાઇ રાઠોડ (ઉ.વ.૩૫)એ ગત તા. ૨૨ના રોજ કોઇપણ કારણોસર પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





