Friday, March 13, 2026

મોરબીના ડોકટર દ્વારા રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ થશે

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ડોકટર દ્વારા રાજકોટ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીનો શુભારંભ થશે

રાજકોટ ખાતે એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે લેબોરેટરીનું ઉદ્દઘાટન

આજના આ આધુનિક યુગમાં અવારનવાર અનેક રોગોથી માનવ જીવ હેરાન પરેશાન થતો હોય છે, ત્યારે રોગોના મૂળ સુધી પહોંચવા એના કારણ સુધી પહોંચવા માટે યુરિન ટેસ્ટ,બ્લડ ટેસ્ટ દ્વારા શરીરમાં રહેલી ખામીઓને જાણવા માટે પેથોલોજી લેબોરેટરીની આવશ્યકતા હોય છે, લોકોની આ જરૂરિયાતને પહોંચી વળવા મોરબીની બે ડોકટર દિકરીઓ ડો.પ્રેક્ષા અઘારા વડસોલા અને ડો.પૂર્વી અઘારા વિરોજાએ અતિ આધુનિક મશનરી સાથે ઝડપી રિપોર્ટની સુવિધા, લોહીની તપાસના તમામ પ્રકારના રિપોર્ટ જેવા કે લોહીના ટકા (H.B.) તથા કણોની તપાસ કોલેસ્ટ્રોલ તથા પ્રોટીન, ડાયાબીટીસ, થાઇરોઇડ તથા અન્ય હોર્મોનની તપાસ, વિટામિન પેનલ,યુરિન તથા સ્ટુલના રિપોર્ટ બાયોપ્સી અને સાયટોલોજી રિપોર્ટ, લીવર,કિડનીના વગેરે રિપોર્ટ માટે હોમ કલેકશનની સુવિધા,વોટ્સએપ દ્વારા ઘરે બેઠા રિપોર્ટ મેળવવાની સુવિધાઓ સાથે રાજકોટ ખાતે ફિલ્ડમાર્શલ રોડ,હિરા પન્ના કોમ્પ્લેક્ષ, મોટા મવા ખાતે આગામી 25,મી ફેબ્રુઆરી-2024 ના રોજ એક હજાર જેટલા લોકોની ઉપસ્થિતમાં રક્તદાન કેમ્પ સાથે સત્ત્વ ડાયગ્નોસ્ટીક લેબોરેટરી નો શુભારંભ થવા જઈ રહ્યો હોય આયોજક ડોક્ટરો તરફથી સગા સંબંધી સ્નેહીજનોને લેબોરેટરીના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી રક્ત એ પરમાત્માએ પ્રાણીઓને આપેલી અમૂલ્ય ભેટ હોય રક્તદાન એ સૌથી મહાદાન હોય બહોળી સંખ્યામાં રક્તદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,595,590

TRENDING NOW