મોરબી: મોરબી એ ઓધ્યોગિક શહેર છે. ભૂતકાળમાાં પોટરી અને નળીયા ઉધ્યોગ માટે તેમજ વર્તમાનમાં ઘળીયાળ અને સિરામિક ઉધ્યોગ માટે તેમજ પેપર મિલ, સનમાઇકા તેમજ અનેક ઉધ્યોગોથી ધમધમતું થયેલ મોરબી સૌરાષ્ટ્રનું મહત્વનું આર્થીક કેન્દ્ર બની ગયું છે.
તે જોતાાં મોરબીના રાજાશાહી વખતના જુના એરપોર્ટને પુનઃજીવિત કરી વિમાની સેવા આપવા મોરબીના ધારાસભ્ય બ્રીજેશ મેરજાએ વિધાનસભામાં અનેક વખત માાંગણી કરેલી અને તે દિશામાાં ગજરાત સરકારે આ રાજાશાહી વખતના જુના એરોડ્રામને રૂ. ૪૦ કરોડના ખર્ચે પુન: જીવીત કરવા મંજુર કરેલું છે.
આ યોજનાના ભાગરૂપે એરપોર્ટ માટે પ્રથમ તબક્કામાાં કમ્પાઉન્ડ વોલના કામ માટે રૂ. ૭ કરોડના ટેન્ડરને મંજુરી પણ મળી ગઈ છે. અને એજન્સી પણ નક્કી કરી દેવામાાં આવી છે. હાલ જંગલ કટીંગ થઇ રહ્યું છે ત્યા તાકીદ બાાંધકામ હાથ ધરવા માર્ગ – મકાન વિભાગના સ્થાનીક ઈજનેરોને તાકીદ કરી વિના વિલંબે મોરબીને એરપોર્ટ સુવિધા મળે તે માટે તંત્રને સૂચના આપી છે.





