મેરજા પરિવારના કુળદેવીમાં બહુચરાજીનો 18 મો વાર્ષિક પાટોત્સવ મોકુફ
મોરબી: મેરજા પરિવારના કુળદેવીમાં બહુચરાજીનો 18 મો વાર્ષિક પાટોત્સવ નારણકા ગામે ( તા. મોરબી) તારીખ : 01/11/2022 મંગળવાર ના રોજ રાખેલ હતો. તે હાલ મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની બનેલ અતિ ખરાબ દુઃખદ કમનસીબ દુર્ઘટનાના કારણોસર બંધ રાખવામાં આવેલ છે.
આ દુર્ઘટનામાં અવસાન પામેલા સ્વર્ગસ્થના પુણ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિરં શાંતિ અને દિવ્ય સદ્દગતિ આપે તેમજ તેમના પરિવારજનોને અચાનક આવી પડેલ વ્રજ સમાન દુઃખ સહન કરવાની હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના.





