માળિયા શહેરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
માળિયા શહેરમાં રહેતા એક મહિલાએ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ત્યારે આ અંગે માળીયા પોલીસે મૃત્યુનોંધ કરી તપાસ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા શહેરમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર ઉ.24 નામના મહિલાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





