મોરબીના મહેન્દ્રનગર ગામે રહેણાંક મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા મોરબી બી ડીવીઝન પોલીસ દોડી ગય હતી. અને યુવાનના મૃતદેહને પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે ક્રાંતિજ્યોત સોસાયટીમાં રહેતા પંકજભાઈ ભગવાનજીભાઈ કગથરાનો તેના ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ મોરબી બી ડીવીઝન પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી ગય હતી. અને યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





