(અહેવાલ: મહેશ ચાવડા દ્વારા)
મોરબી: રાજ્ય સરકારના નવા મંત્રી મંડળમાં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાને પણ સ્થાન મળ્યું છે અને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી (રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો) તથા પંચાયત વિભાગના મંત્રી તરીકે નિમણુક થઇ છે. જેથી ઠેર ઠેર અભિવાદન કરવામાં આવ્યું છે.
ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ રામધન આશ્રમ ખાતે મુલાકાત કરી માં ઉમીયા અને રામદેવજી મહારાજ અને મહંત ભાવેશ્વરીમાં ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ આશ્રમમાં ઉપસ્થિત લોકો સાથે મુલાકાત કરી હતી.






