મોરબી: શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તારીખ ૩-૧૦-૨૧ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.
આ પ્રવાસમાં મંત્રી તારીખ ૨-૧૦-૨૧ ના રોજ હળવદ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. તારીખ ૩-૧૦-૨૧ ના રોજ જન આશીર્વાદ યાત્રાના કાર્યક્રમમાં સવારના ૮-૩૦ કલાકથી ચરાડવા, નીચીમાંડલ, મહેન્દ્રનગર ચોકડી, બેલા, જેતપર, અણિયારી ચોકડી, માળિયા(મી), સરવડ, મોટાભેલા, ચમનપર, રાજબાઈ મંદિર તથા શ્રીમદ રાજચંદ્ર મંદિર વાણીયા, મોટા દહિસરા, કબીર આશ્રમ નાનીવાવડી અને મોરબી શહેરની યાત્રામાં સામેલ થશે.





