પોતાના પિતરાઈ ભાઈના જુના ઝઘડાના સમાધાન માટે ગયેલ યુવકને ચાર શખ્શોએ માર માર્યો.
નાગલપર ગામના યુવક પોતાના પિતરાઈ ભાઈના જુના ઝગડામાં સમાધાન માટે ગયેલ હોઈ ત્યારે ચાર જેટલા શખ્શોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાબતે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા મોહનભાઈ પ્રેમજીભાઈ મકવાણા ઉ.27 નામનો યુવાન પોતાના પિતરાઈ ભાઈના જુના ઝઘડામાં પંચાસર ચોકડી નજીક આવેલી ડિલક્સ પાનની દુકાને જતા અમરાપર ગામે રહેતા આરોપી વિશાલભાઈ બટુકભાઈ ઉંચાણા, અતુલભાઈ બટુકભાઈ ઉંચાણા, સતિષભાઈ બટુકભાઈ ઉંચાણા અને દીલીપભાઈ બાબુભાઈ કોરડીયાએ પેટ અને પીઠના ભાગે લાતો મારી જાનથી મારી નાખવા ધમકી આપતા ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.





