“મોરબીના વઘાસિયા નજીક બોગસ ટોલનાકું ઝડપાયું હતું. જે કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં “શ્રી ઉમિયા માતાજી મંદિર – સિદસર” સંસ્થાના પ્રમુખ જેરામભાઈ પટેલ ના પુત્ર અમરીશ પટેલ નું નામ ખૂલ્યું હતું. ત્યારે મંદિરમાં સમાજની કરોડો રૂપિયાની રકમનો વહીવટને પણ તપાસવો જોઈ એ કેમ કે પૈસા માટે ગામે તે હદે જનારા માણસોને ઈશ્વરનો ડર નથી” તેવું જણાવ્યું હતું.
ત્યારે સિદસર મંદીરએ ગુજરાતનું પ્રથમ ઉમિયા ધામ છે અને ગુજરાતના તમામ કડવા પટેલો અતૂટ વિશ્વાસ ધરાવે છે. ત્યારે શ્રદ્ધાળુઓ તમ મન ધન થી સિદસર મંદિરમાં યોગદાન આપે છે. તેવા સંજોગોમાં આ જ સમાજના સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા પૈસા માટે આ હદે એક ધાર્મિક સંસ્થાના વડાની ભૂલ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવી જોઈએ અને તાત્કાલિક અસરથી તેનું રાજીનામું લેવું તેવી લોકો વતી માંગણી કરી છે ઉપરાંત ગંભીરતાપૂર્વક વિચાર વિમર્શ કરી જેરામભાઈ પટેલના મંદિર ખાતેના આર્થિક વહીવટની પણ તપાસ કરવી જોઈએ” તેવું પણ ભરતકુમાર લાડાણીએ જણાવ્યું હતું.





