મોરબી તાલુકાના નવા દેરાળા ખાતે આવતીકાલે બુધવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં આવતીકાલે તા. ૨૨ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે નવા દેરાળા ખાતે પીઠડાઈ ગૌસેવા મંડળ-પીઠડ દ્વારા ગૌમાતાના લાભાર્થે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરના જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. આયોજક ગોરધનભાઈ સરડવાએ ભક્તોને રામામંડળ જોવા આમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે મો.૯૬૬૨૮ ૩૮૭૮૭ અથવા ૯૬૮૭૪ ૩૬૫૯૧ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.





