Thursday, May 8, 2025

તૌકેત વાવાઝોડાને પગલે જરૂરી સુચનો સાથે સાવચેતી રાખવા મોરબી સિરામીક એશો.પ્રમુખની અપિલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખ નિલેશભાઈ પટેલે જણાવ્યું છે કે, હવામાન ખાતાની આગાહી અને જુદી જુદી વેધરની વેબસાઇટોના અનુસંધાને તા.17 અને 18 ના રોજ તૌકતે વાવાઝોડુ ભયંકર સ્વરૂપે આપણા મોરબી વિસ્તારમાથી પસાર થવાનુ છે અને અંદાજે 70 થી 185 કીમી. પ્રતિ કલાક ની સ્પીડે આવશે જેનાથી આપણા ઉધોગોમાં પતરા, શેડ, સ્પ્રેડ્રાયર અને કાચા કારીગરોના રૂમ વગેરે માટે મોટુ જોખમ ઉભુ થવાની સંભાવનાઓ છે ત્યારે આ વાવાઝોડામાં જાનહાનીના થાય તે માટે શક્ય હોય તો ફરજીયાત સિવાય તમામ ઉત્પાદન પ્રકિયા બંધ રહે અને કારીગરો સુરક્ષીત જગ્યાએ રહે તે માટે સુચના આપશો સાથો સાથ જો કોઇ પણ કારીગરો કાચા રૂમમાં કે પતરા વારા રુમમાં પોતાને મજા આવે તે માટે રહેતા હોય તો સવારે જ તેમનુ સ્થાળાંતર કરીને તેમને સુરક્ષિત જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરશો છતા જો વ્યવસ્થાના હોય તો તેમની વ્યવસ્થા કરવા માટે તંત્રને જાણ કરીને તેમને પાકા રૂમમાં રહેવાની વ્યવસ્થા કરશો કદાચ કારીગરોના માને તો તેમને ફરજીયાત સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવા માટે વહિવટી તંત્રનો પણ સહયોગ લઇ શકો છો કારણ કે થોડીક બેદરકારી તેમની જાનહાની થઇ શકે છે.

પ્રોડક્શન પણ જરૂરીયાત હોય તેટલા જ સ્ટાફ સાથે ચાલુ રાખવુ અથવા તો ટેમ્પરેરી શટડાઉન લઇ લેવુ વધુ હિતાવહ છે કારણ કે જે રીતે ફોરકાસ્ટ મુજબ સ્પીડ છે વાવઝોડાના તે જોતા પતરા, સ્પ્રેડ્રાયર તેમજ ચીમની અને ઇલેકટ્રીક થાંભલા વગેરે મોટી તારાજગી સર્જી શકે છે. ત્યારે કારીગરો તેમજ કંપનીના ભાગીદારોની સલામતી માટે તાત્કાલીક પ્લાન્ટમાં જરૂર વગરના તમામ ઓપરેશન જેવાકે સ્પ્રેડ્રાયર, માટીખાતુ, વોલ ટાઇલ્સ લાઇન, તેમજ પોલીસીંગ, શોર્ટીંગ તેમજ લોડીંગ વગેરે ડીપાર્ટમેન્ટ બંધ રાખી ફકત જરૂરીયાત હોય તો કીલન એક જ ચાલુ રાખવી અને શક્ય હોય તો તેમાં પણ ફીડીંગ બંધ કરીને ટેમ્પરેચર ડાઉન કરીને રાખવા કારણકે પવનની ગતિ એટલી તેજ છે કે કટોકટીની સ્થિતીમાં ઇમરજન્સીમાં ભાગાભાગી થઇ શકે એટલે બચવા માટે અને જોખમ ઘટાડવા માટે કિલન ફીડીંગ પણ બંધ રાખવુ જરૂરી છે સાથોસાથ ઇમરજન્સીમાં વાયરમેન તેમજ ઓપરેટર અને ટીમ પણ હાજર રાખવી જેથી કરીને કોઇ પણ સ્થિતીમાં જાનહાનીથી અને શોટસર્કીટથી બચી શકાય

દરેક ઉધોગકારો તા.17/5ના સવારે 10 વાગ્યા સુધીમાં દરેક કારીગરો તેમજ ઇમરજન્સી માટે દરેક ભાગીદારો તેમજ એક ટીમની રચના કરીને સ્થળાંતર ની જરુરીયાત હોય તો તે પણ કરી લેવુ કોઇ પણ કારીગરો ને પતરા વારી રૂમ કે કાચી રૂમમા રહેવાની સ્પષ્ટ મનાઇ કરવી અને કોઇ પણ લોકો વાવાઝોડા દરમ્યાન બહાર ના નિકળે તે માટે સુચના આપવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

સાથોસાથ અમુક સુચનો પણ આ સાથે આપેલ છે. પ્લાન્ટમાં આજે જ ડીઝલ અને તાલપત્રી મંગાવી લેવા, દરવાજા શટર ચેક કરી લેવા અને તેમની પાછળ ટેકા માટે પાઇપ કે લાકડા ની વ્યવસ્થા રાખવી, જે દિશામાં થી પવન આવતો હોય તે બાજુ ના દરવાજા બંધ કરી સામે ની બાજુ ના ખુલ્લા રાખવા પવન નિકાલ માટે

શક્ય હોય ત્યાં સુધી 17/5 થી 18 / 5. સુધી સ્પ્રેડ્રાયર તેમજ જરૂરીયાત ના હોય તે ઉત્પાદન બંધ રાખવા, અત્યારે હાઈટ ઉપર માણસો ને જવા દેવા નહી, જે દરવાજામાં શટરના હોય ત્યાં પેલેટ ગોઠવી તાલપત્રી ટાઈટ બાંધી દેવી, ગ્રાઉન્ડમાં ઉડે એવા પતરા કે હલકી વજન વગરની વસ્તુ ને યોગ્ય જગ્યા એ દબાવીને સલામત રાખવી, સુપરવાઈઝર અને પ્રોડક્શન ટીમે એલર્ટ રહી ને લોકો ને જવાબદારી સોપી ને કારીગરો ને બહાર નીકળવા દેવા નહી, વાયરમેન તેમજ મીકેનીકલ ટીમને સ્ટેન્ડ બાય રાખવા, તેમજ અગત્યના નંબર સેવ પણ કરી લેવા અપિલ કરી હતી.

Related Articles

Total Website visit

1,502,798

TRENDING NOW