Wednesday, March 11, 2026

ઢોલ,નગારા સાથે બ્રીજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાનું સ્વાગત

Advertisement
Advertisement
Advertisement

શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા આજે મોરબી ખાતે આવી પહોંચી હતી. આ અવસરે અગ્રણીઓ દ્વારા ઢોલ, નગરા અને અબીલ ગુલાલની છોળો સાથે ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રાનું આજે મોરબીના આંગણે આગમન થતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.આજે પોતાના મત વિસ્તારમાં મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચતા મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ બ્રિજેશ મેરજાનું ભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઢોલ, નગારા અને ડીજેના સુરની સાથે બ્રિજેશ મેરજાને ઘોડે અશવારી કરાવી સ્વાગત કરાયું હતું. ઉલ્લેખનીય છે કે મંત્રી બ્રિજેશ મેરજાની જન આશીર્વાદ યાત્રા આજે મોરબી અને માળીયા વિસ્તારમાં ભ્રમણ કરી લોકોનો સંપર્ક કરશે.

Related Articles

Total Website visit

1,595,355

TRENDING NOW