Sunday, May 4, 2025

ડ્રેનેજ સફાઈ ના વહાનો દ્વારા ખુલ્લે આમ કચરો રેસીડેન્સ એરીયામા ખાલી કરતાં આમ આદમી પાર્ટી આકરા પાણીએ..

Advertisement
Advertisement
Advertisement

ડ્રેનેજ સફાઈ ના વહાનો દ્વારા ખુલ્લે આમ કચરો રેસીડેન્સ એરીયામા ખાલી કરતાં આમ આદમી પાર્ટી આકરા પાણીએ..

મોરબી નગરપાલિકા દ્વારા ચાલતા ડ્રેનેજ સફાઈ ના વાહનમાં આરટીઓ ના નિયમો નો સરેઆમ ભંગ કરી નંબર પ્લેટ વગર ખુલ્લેઆમ રસ્તામાં ગાડી દોડાવી રહ્યા છે પરંતુ છતાં પણ આ ગાડી કોઈ પણ અધિકારીના નજરમાં આવતી નથી….?? તો શું નિયમો બધા માત્ર ગરીબ માણસોને લાગુ પડે છે એવી રીતે તેના ઉપર કોઈપણ પ્રકારની કોઈ દ્વારા કાર્યવાહી થતી નથી..?? અને આજુબાજુના વિસ્તારમાંથી ગટર સફાઈ નો કચરો ઉપાડી યોગ્ય નિકાલ કરવાની બદલે સામાકાંઠે વોર્ડ નંબર- ૩ કે જે વિસ્તારમાં હાલ ના ધારાસભ્ય અને નગરપાલિકા ના પુર્વ ઉપપ્રમુખ બંનેના વસવાટ કરતા હોય એવાં વીસ્તાર માં આવેલી વિદ્યુત નગર, હરિપાર્ક સોસાયટી , ઉમા ટાઉનશિપ સોસાયટીના આવન જાવન ના રસ્તાની બાજુમાં આવેલ પંપિંગ સ્ટેશન ના દરવાજાની બાજુમાં જ ગટરના કદડાના નિકાલ કરવામાં આવે છે અને આજુબાજુ ના રહેતા રહીશું તે દુર્ગંધનો સામનો કરવો પડે છે તો તો આવી રીતે ખુલ્લેઆમ કદડો નાખવાથી રહીશોને થતી પરેશાની નો ઉકેલ ક્યારે આવશે તેવી આમ આદમી પાર્ટીનાં મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા મોરબી નગરપાલિકાને ઉગ્ર રજૂઆત કરવામાં આવે છે અને આ કોન્ટ્રાકટર પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કોન્ટ્રાકટર નું પેમેન્ટ અટકાવા માંગ કરવામાં આવી છે. વધુમાં આમ આદમી પાર્ટી ના જીલ્લા પ્રમુખ સાથે વાતચીત કરતા જણાવ્યું કે જો અમારી માંગણી સ્વીકારવામાં આવશે નહીં તો સ્થાનીક લોકો ને સાથે રાખી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી છે…. .

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW