ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં વકીલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી, હનુમાન ચાલીસાનું પઠન.
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી પૂર્ણ થઈ છે. આ પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસસના વડા મોહન ભાગવત સહિત સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સહીત સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે અલગ રીતે ઉજવણી થઈ હતી.
ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ શ્રીરામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે અલગ રીતે થઈ ઉજવણી કરાવમાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ્સ માટે બનેલા બાર રૂમમાં મોટી સંખ્યામાં એકઠા વકીલો થયા હતા. બાર રૂમમાં હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું. આમ કરી શ્રીરામ માટેનો સમર્પણ ભાવ હનુમાન ચાલીસાના પઠનથી વકીલોએ દર્શાવ્યો હતો.





