ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામના શહીદ જવાનના માતા-પિતાને એક લાખનો ચેક અર્પણ કરતા અજયભાઈ લોરીયા
મોરબી: પંજાબના જલંધરમાં 7-12-2022ના રોજ શહીદ થયેલ ગાંધીનગર જીલ્લાના વાસણાચૌધરી ગામના શહીદ જવાન દિનેશ પટેલના માતા-પિતાને મળી એક લાખનો ચેક મોરબી જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય થકી માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હતી.






