કોટડાનાયાણી ગામે કામ કરતી વેળાએ મકાનના લેન્ટરની દીવાલ પરથી પડી જતાં યુવકનુ મોત
મોરબી: વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કામ કરતી વેળાએ મકાનના લેન્ટરની દીવાલ પરથી પડી જતાં યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરામા રહેતા સુનિલભાઈ મનુભાઈ દેત્રોજા (ઉ.વ.૨૧) ગત તા ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે એહમદભાઈ હુસેનભાઇ કાતીયારના મકાનની દિવાલનાં લિન્ટર ઉપર કામ કરતી વખતે દિવાલ ઉપરથી અકસ્માતે પડી જતા માથામાં આંખ પાસે ગંભીર ઇજા થતા હેમરેજ થતા બેભાન થઇ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.





