તા: 17 ઓક્ટોબર 2022
મયુર ઠાકોર
ઉઘરેજા બંધુઓ દ્વારા માટેલ ખોડિયાર મંદિરે શનિવારના રોજ ધ્વજારોહણ કરાશે
વાંકાનેરના વતની અને રાજકોટના કોર્પોરેટર બાબુભાઈ ઉઘરેજાના સુપુત્રો ઉદયભાઈ તેમજ વિવેકભાઈ ઉઘરેજા દ્વારા તા 22 ઓક્ટોબર શનિવારના રોજ વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ સંત શ્રી વેલનાથ બાપુના મંદિર ખાતેથી યાત્રા યોજી માટેલ ખોડિયાર મંદિર ખાતે ધ્વજા રોહણ કરવામાં આવશે એવું તેમની યાદીમાં જણાવ્યું હતું