આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા મંત્ર દીક્ષા તેમજ પ્રસાદ સાથે આશીર્વાદ નું દિવ્ય આયોજન કરવામાં આવ્યું.

બેંગ્લોર આશ્રમ થી પધારેલ બ્રહ્મચારી સ્વામી કેતનજી દ્વારા 15 લોકોએ મંત્ર દીક્ષા લીધી, તેમજ અગિયારસના પાવન દિવસે આર્ટ ઓફ લિવિંગ પરિવારે 151 જરૂરિયાત મંદ પરિવારને દિવાળીની ગિફ્ટ આપી સાથે સ્વામીજી એ વ્યસન નો કરવું, ચોખ્ખાઈ રાખવી, થોડી બચત કરવી વિગેરે જ્ઞાન સાથે આશીર્વાદ આપી દિવાળીના આનંદની ઉજવણી કરી.






