અગમ્ય કારણોસર એસિડ પી જતા યુવકનું મોત.
મોરબીના વીસીપરા રોહીદાસ પરા શેરી નંબર:-૫ માં રહેતો યુવક અગમ્ય કારણોસર એસિડ પી જતા તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસએ મૃત્યુ નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિશીપરા રોહિદાસપરા શેરી નં-૫મા રહેતા રમેશભાઇ મનસુખભાઇ ચૌહાણે ગત તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી જતા તેના પરિવારના સભ્યો સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમા સારવારમા લાવતા પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.





