Monday, August 10, 2026

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા 7 માં ફ્રી અગ્નિકર્મ કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા 7 માં ફ્રી અગ્નિકર્મ કેમ્પનું આયોજન

સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા મોરબીમાં 7 માં નિઃશુલ્ક અગ્નિકર્મ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આગળના પહેલાના 6 કેમ્પસમાં લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ.

28 જાન્યુઆરી, શનિવારના કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લે તેવી શ્રી સાગર રવિચંદ જેસ્વાણી – ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ
અને
ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી – પ્રમુખશ્રી, N.I.M.A. મોરબી જીલ્લો
મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.

અગ્નિકર્મમાં સોનુ, ચાંદી, વિગેરે પંચધાતુ ની શલાકાને અગ્નિતપ્ત કરી દુઃખાવાની જગ્યાએ સ્પર્શ કરાવવામાં આવે છે.

જેમાં ઢીંચણ, ગરદન, કમર, ઍડીના દુઃખાવા, સ્નાયુના દુ:ખાવા, ગાદી-નસ ના દુઃખાવા, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, માઈગ્રેન, સાયટીકા વિગેરે દુઃખાવામાં આરામ મળે છે.

Related Articles

Total Website visit

1,624,934

TRENDING NOW