Saturday, March 14, 2026

હળવદમાં ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા આધેડ પર બે શખ્સોનો હુમલો

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા આધેડ પર બે શખ્સોનો હુમલો

હળવદમાં રહેતા આધેડના દાડમના ખેતરમાં બે શખ્સો ગાયો ચરાવતા હોય તે દરમ્યાન શ્રમીકે ફોન કરતા આધેડ ખેતર એ આવી ગાયો ચરાવવાની ના પાડતા સારૂં ન લાગતા આરોપીઓએ આધેડનું ગળુ અને કાંઠલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદમાં સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુદીયા (ઉ.વ‌.૪૫) એ આરોપી ધનજીભાઈ ઉર્ફે ધનો બાલાભાઈ સોરીયા તથા સામંતભાઈ ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા રહે. બંન્ને હળવદ ખારીવાડીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને વાડીના મજુર નીતાબેનએ ફોન કરી જાણ કરેલ કે વાડીમા દાડમના ખેતરમા ભરવાડ ગાયો ચારવા આવેલ છે, તેમ ફોન કરી જાણ કરતા ફરીયાદી પોતાની વાડીએ ફોરવ્હીલ ગાડી લઇ જતા બન્ને દાડમના ખેતરમા ગાયો ચારતા હોય જેથી ગાયો ચારવાની ના પાડતા ધનજીભાઇ ઉર્ફ ધનો બલાભાઇ સોરીયાએ ફરીયાદીનુ ગળુ તથા કાઠલો પકડી લીધેલ અને ગાળો દેવા લાગેલ અને લાકડી લઇ ફોરવ્હીલ ગાડીનો આગળનો કાંચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,041

TRENDING NOW