Friday, May 2, 2025

હળવદના નવા દેવળીયામાં કોરોના સંક્રમણને અટકાવવા આંશિક લોકડાઉન કરાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મેહુલ સોની હળવદ)

હળવદ: કોરોના સંક્રમણને ટાળવા હળવદના દેવળીયામાં ગ્રામપંચાયત દ્વારા ગ્રામપંચાયતની કચેરી ખાતે ગામના આગેવાનો, વેપારીઓ, શાકભાજીના ધંધાર્થીઓ, ખાણીપીણીના ધંધાર્થીઓ સહિત તમામ અન્ય ધંધાર્થીઓની એક બેઠક મળી હતી.

આ બેઠકમાં તકેદારીનાં ભાગરૂપે સર્વાનુમતે ગામમાં આંશિક લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આજે તારીખ ૧૨ એપ્રિલથી લઈને ૨૦ એપ્રિલ સુધી બપોરે ૩ થી રાત્રે ૮ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત ગામમાં એક જ જગ્યા પર વધુ વ્યક્તિઓને એકઠા ન થવા, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW