હળવદનાં દેવીપુર ગામે રહેતા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદનો ખાર રાખીને 6 ઈસમોએ ઘાતકી શાસ્ત્રો વડે આડેધ અને તેની સાથે રહેલા 2 લોકો પર હુમલો કર્યો હતો. જેને પગલે હળવદ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં દેવીપુર ગામે રહેતા પરષોતમભાઈ નાનજીભાઈ તારબુંદીયા દલવાડી (45)એ અંબારામભાઈ ઉકાભાઈ, વશરામભાઈ ત્રીભોવનભાઈ ધારીયા પરમાર રહે. રવાપર રોડ બજરંગ સોસાયટી મોરબી, ભગવાનભાઈ ઉકાભાઈ ધારીયા પરમાર રહે. ટીકર રણ, બળદેવભાઈ ત્રીભોવનભાઈ રહે. રવાપર રોડ મોરબી હસમુખભાઈ અંબારામભાઈ રહે. દેવીપુર અને પ્રદિપભાઈ ભગવાનભાઈ ઘારીયા પરમાર રહે. ટીકર સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કાકાના દિકરા નારાયણભાઈ દેવજીભાઈ તારબુંદિયા રહે. દેવીપુરએ આરોપી હસમુખભાઈ અંબારામભાઈ ધારીયા રહે.દેવીપુર વાળા વિરૂધ્ધમાં લેન્ડ ગ્રેબીંગનો કેસ કરેલ છે
જેનો ખાર રાખીને તા.૦૭/૦૬/૨૦૨૨ ના સવારે ક.૦૮/૩૦ વાગ્યાના અરસામા દેવીપુર ગામની સીમમા નારાયણભાઈ દેવશીભાઈની ઓર નામની વાડીએ પ્રાણઘાતક હુમલો કર્યો હતો. જ્યાં આરોપીઓએ ધારીયુ લઈને પરષોતમભાઈની ડાબી આંખ ઉપર મારતા ઈજા કરેલ હતી તેમજ ધારિયાથી પરષોતમભાઈને ડાબા હાથમા કોણી ઉપર માર માર્યો હતો અને આરોપીઓએ લોખંડના પાઈપ, ધોકા વડે પરષોતમભાઈ અને તેની સાથે રહેલા ચંદુભાઈ અને અમૃતભાઈને પણ માર મારી ઘાયલ કર્યા હતા. અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મુદ્દે હળવદ પોલીસે ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૩૨૪,૩૨૫,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯, ૧૧૪તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.