Thursday, August 13, 2026

સાર્થક વિદ્યામંદીરના શિક્ષક/ આચાર્ય વિવેકભાઈ મનોજભાઈ શુકલનું સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા સન્માન થયું

Advertisement
Advertisement
Advertisement


સાર્થક વિદ્યામંદીરના શિક્ષક/ આચાર્ય વિવેકભાઈ મનોજભાઈ શુકલનું સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર કચ્છ દ્વારા સન્માન થયું

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ – 2023 નું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં સાર્થક વિદ્યામંદિરના પ્રાથમિક વિભાગના પ્રાધાનાચાર્ય શુક્લ વિવેકભાઈ મનોજભાઈને સંસ્કૃત વિષયમાં M.A. ની ડીગ્રીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો. જે અંતર્ગત શિક્ષણવિદ્ ગિજુભાઈ ભરાડના હસ્તે સુવર્ણચંદ્રક તેમજ રજતચંદ્રક તથા પ્રમાણપત્ર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસ તેમજ સંસ્કૃત કાર્યો માટે સમગ્ર બ્રહ્મ સમાજ મોરબી, શાળા તેમજ કુટુંબ પરિવાર તરફથી અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,625,103

TRENDING NOW