સરપંચ પરિષદ ગુજરાતનાં પક્ષિમ્ ગુજરાત ઝોન મહામંત્રી તરીકે મોરબીના પાટીદાર યુંવા અગ્રણી શ્રી સાગરભાઇ અંબારામભાઈ ફૂલતરીયાની નિમણુંક.
આપણા ગુજરાત ભરનાં બધા સરપંચો ને છેલ્લા ( 5 ) પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતા રજીસ્ટર સંગઠ્ઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ એવી સરપંચ પરિષદ – ગુજરાતના પક્ષિમ્ ગુજરાત ઝોન સમિતિ ના મહામંત્રી તરીકે પાટીદાર સમાજના યુવા આગેવાન એવા મોરબી જીલ્લાના માળિયા મિયાણા તાલુકાની તરઘડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સાગરભાઇ અંબારામભાઇ ફૂલતરીયા ની પક્ષિમ્ ગુજરાત ઝોન સમિતિના મહામંત્રી તરીકે રાષ્ટ્રીય સરપંચ સંઘ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશભાઇ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન શ્રી જુવાનસંગ ડોડીયા અને સરપંચ પરીષદ – ગુજરાત ના પ્રદેશ પ્રભારી શ્રી મહેશદાન ગઢવી ની ભલામણ થી તા. 18-08-2023 થી નિમણુંક કરવામાં આવી છે.ત્યારે સરપંચ પરિષદ – ગુજરાતના પક્ષિમ્ ગુજરાત ઝોન (સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પક્ષિમ્ કચ્છ અને પૂર્વ કચ્છ) જીલ્લાના તમામ સરપંચો ને જણાવવામાં આવ્યું હતું.

ત્યારે સાગરભાઈ દ્વારા ગ્રામ વિકાસ બાબતે અથવા કોઈ પણ અન્ય પ્રશ્ન બાબતે મોબાઈલ નંબર 9898424202 પર કોન્ટેક્ટ કરવા જણાવ્યું હતું.





