સરતાનપર રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ પડી જતાં શ્રમિકનું મોત.
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ માઇક્રોન સિરામિક ફેકટરીમાં પડી જતા લાલજીયાવન દશરથભાઈ સરોજ ઉ.35 નામના શ્રમિકનું પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





