શ્રી હજનાળી પ્રા. શાળામાં મૂલ્ય શિક્ષણને ઉજાગર કરવા દરેક વિદ્યાર્થીને બચત બેંક આપવામાં આવી. આજના સમયમાં બાળકો જ્યારે રૂપિયા ખોટી જગ્યાએ વાપરે છે અને દુરુપયોગ કરે છે ત્યારે હજનાળી પ્રા. શાળાના સ્ટાફના ખર્ચે શાળાના તમામ બાળકોને વિદ્યાર્થીના નામ જોગ એક-એક બચતબેંક આપવામાં આવી છે. જેમાં બાળકોને હાથમાં આવેલા પૈસા, બચત કરેલા પૈસા અને જન્મદિવસ ઉજવણીમાં જે ચોકલેટ કે અન્ય ખોટા ખર્ચ કરે છે એ બંધ કરી એની જગ્યાએ બચતબેંકમા આ તમામ પૈસા બચત કરવાની પાયાની કેળવણીનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો છે. વર્ષાંતે આજ બચતબેંકમાંથી વિદ્યાર્થીઓને એના આખા વર્ષના દફતર, નોટબુક, પેન, કંપાસ, ચોપડા, પ્રવાસ માટેના પૈસાનો તમામ ખર્ચ આજ બચતબેંકમાંથી મળી રહેશે. જેથી બાળકના માતા-પિતાને પણ ખૂબ રાહત રહેશે.









