શાંતા નહીં પણ સંતોના રંગે રંગાયા મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો

મોરબી: પાશ્ચાત્ય સંસ્કૃતિમાં રંગાયેલા બાળકોને આજે પોતાની ભવ્ય સંસ્કૃતિની ઓળખ કરાવવી જરૂરી છે આ માટે મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં નવતર પ્રયોગ કરાયો.

બાળકો સમજે કે આ દેશ શાંતા નો નથી પરંતુ સંતોનો છે .અને આપણ દેશના મહાન સંતોને સમજે,જાણે તેના ચરિત્ર માંથી કંઈક સીખે એ માટે સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, સંત જ્ઞાનેશ્વર વગેરે જેવા સંતો પાસેથી જ્ઞાન અને ગિફ્ટ બંને અપાવી અને બાળકોમાં મૂલ્ય શિક્ષણને જાગૃત કરાયું.






