વાંકાનેરના કોઠારીયા ગામે પરિણીતાનો ગળેફાંસો આપઘાત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા ચકુબેન કનકભાઈ કોબીયા (ઉ.વ.૨૩) નામના પરિણીતાએ ગત તા. ૧૧-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જતાં મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ શરૂ કરી છે. મરણ જનાર ચકુબેનનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે.