મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકા ના અગાભી પીપળીયા મા આવેલ સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ ( લેન્ડ ગ્રેબીંગ ) બનાવમાં થયેલ ફરીયાદમાં આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ ( લેન્ડ ગ્રેબીંગ ) કલમ 3, 4(3), 5(ગ) તથા ઈ.પી.કો. કલમ 114 હેઠળ ફરીયાદ નોધાયેલ હતી, આ કામનાં આરોપીઓ જીતુભા ભરતસિંહ જાડેજા, મનજીભાઈ રાયમલભાઈ તથા કમાભાઈ દેવશીભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલા હતા અને તેને ધારદાર દલીલ કરેલ હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર રોકાયેલ હતાં.





