મોરબી મુસ્કાન વેલ્ફેર ગ્રુપ દ્વારા 5 ટીબી દર્દીઓને એક વર્ષ નું પૌષ્ટિક ખોરાક ની રાશનકીટ નું વિતરણ કરાયુ
મુસ્કાન વેલ્ફેર સોસાયટી ને જણાવતા આનંદ થાય છે કે તેઓએ આજે ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ પ્રોજેક્ટ ટીબી ફ્રી ઈન્ડિયા હેઠળ 5 ટીબી દર્દીઓને દત્તક લીધા છે અને 12 મહિના માટે અમે તેમને પૌષ્ટિક ખોરાકની રાશન કીટ આપી રહ્યા છીએ.
અને આ શૃંખલાને આગળ વધારતા આજે ટીબી હોસ્પિટલમાં 5 દર્દીઓને પોષણયુક્ત રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રોજેક્ટમાં કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, કુસુમ મિશ્રા, અલકા સોમાણી, સારિકા સિંહા, કલ્પના ચોબે, રેખા મોર, બબીતા સાંઘી અને ચેતના અગ્રવાલે પોતાનો અમૂલ્ય સમય આપીને સફળ બનાવ્યો હતો.






