Sunday, March 15, 2026

મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેવાસીઓએ મિત્રતા દિવસ ઉજવ્યો

Advertisement
Advertisement
Advertisement

મિત્રતા દિવસ નિમિત્તે યુવા ગ્રુપ દ્વારા યોજાયો કાર્યકમ : યુવાઓની સાથે મોટેરાઓ પણ ડીજે તાલે ઝુમ્યા

(અહેવાલ: જનક રાજા દ્વારા)

મોરબી :- મિત્રતા દિવસ નિમિત્તે શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે એક પ્રોગ્રામ નું યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા ઓ સાથે અન્ય રહીશો પણ ડીજે ના ઝુમ્યા હતા.

દેશભરમાં છેલ્લા લાંબા સમયથી કોરોના સહિતના વાઈરસે માથું ઉચક્યુ હતું. જેથી આમ જનતાની સુખાકારી માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. અને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માં તહેવાર ઉજવણી માટે ૪૦૦ લોકોની મજુરી આપવામાં આવતા યુવા હૈયાઓમાં હરખની હેલી પ્રજલિત થઈ હતી.

અને કહેવાય છે ને કે, યુવા હૈયાઓને ઉત્સવ માટે ફકત બહાના કાફી છે. એમ ગતરાત્રીના મિત્રતા દિવસ ની ઉજવણી કરવા માટે યુવા ગ્રુપ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં ડીજે ના તાલ સાથે ઝુમવા એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા ઓની સાથે અન્ય લોકો પણ જોડાઈ એકતાના પંથે ડીજે ના તાલે ઝુમ્યા ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં બ્લોક-૧૨ ના જયેશ બારોટ, સુલતાન દરજાદા, હાજી દરજાદા, જનક રાજા ,કિશોરભાઈ રાઠોડ, રાજુભાઈ રાવલ સહિત યુવા ગ્રુપના સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,597,101

TRENDING NOW