મોરબીમાં સેવાભાવી યુવાન અજય લોરીયા દ્વારા તેમની જિલ્લા પંચાયતની સીટ માં જે ગ્રામ પંચાયત સમરસ થશે તેને એક લાખ ની સહાય કરવામાં આવશે આથી તે પંચાયત સીટ હેઠળ આવતી 23 જિલ્લા પંચાયતમાંથી અત્યાર સુધીમાં ૧૪ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી અજય લોરીયાના અથાક પ્રયત્નોથી જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ થાય છે એમ કુલ મળીને ૨૩ માંથી ૧૫ ગ્રામપંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી છે
જેમાં વાઘપર, પીલુડી, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરિપર (કેરાળા), રવાપર (નદી), જુના સાદુળકા, ભરતનગર, અણિયારી,શક્તિનગર, જસમતગઢ સહિતના ગામો સમરસ થયા હોવાનું અજયભાઇ લોરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.