મોરબી :- ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.
મોરબીમાં એક યુવકે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના નવલખી રોડ ઉપર રણછોડનગર લાઈન્સ નગરમાં રહેતા ચેતનભાઈ વિનોદભાઈ પાટડીયા ઉ.23 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





