મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે સિંધી સમાજ દ્વારા ધ્વજા રોહણ અને પ્રસાદ કાર્યક્રમ રદ
મોરબી: સમસ્ત સિંધી સમાજને જાણ કરવામાં આવેલ છે કે તા. 8/11/2022 ના દિવસે ગુરુનાનક જયંતિ આવી રહી છે. પરંતુ ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે.
સાથે તા. 6/11/2022ના દિવસે સવારે ધ્વજારોહણનુ આયોજન અને 8/11/2022માં દિવસે પ્રસાદ પણ રદ કર્યો છે જેની સમાજના લોકોને નોંધ લેવા જણાવાયું છે.
તા 8/11/2022 એ રાત્રે મંદિર એ ફક્ત કિર્તનનું આયોજન કરેલ છે.





