મોરબીમાં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનના સભ્યોએ સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી
મોરબી માં જ્યારે જ્યારે કુદરતી આફતો આવી હોય કે અન્ય કોઈ આફતો આવી હોય ત્યારે આપણને કોમી એકતાનું ઉદાહરણ જોવા મળતું હોય છે. ત્યારે મોરબીના દાવતે ઈસ્લામી કે શોબે GNFR (ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા બિપોરજોય વાવાઝોડા દરમિયાન રેડ એલર્ટ દરિયાકાંઠા નજીકના વિસ્તારના સ્થળાંતરિત કરેલ લોકો માટે માટે પાણી તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉપરાંત નવલખી બંદરથી સ્થળાંતરિત કરેલા લોકોની ખાસ મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા સંકટ ભરેલા સમયમાં દાવતે ઈસ્લામી કે શોબે GNFR ( ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) હંમેશા મદદ કરવા માટે તત્પરતા દાખવે છે.







