મોરબીની સબ જેલના બંદીવાનો માટે ટીબી અને એચ.આઈ.વી નિદાન કેમ્પ યોજાયો
મોરબી: મોરબીની સબ જેલમાં બંધ કેદીઓને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે અવારનવાર કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મોરબી સબ જેલમાં સુભિક્ષા પ્રોગ્રામ અંતર્ગત નવા આવેલ આરોપીઓ માટે ટીબી અને એચ.આઈ.વી ટેસ્ટીંગ અને નિદાન કેમ્પ યોજાયો હતો
જેમા જેલના બંદિવાનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ ટીબી અને એચ.આઈ.વીના લક્ષણો, થવાના કારણો, નિવારણ માટેની જાણકારી આપવામાં આવી હતી પ્રોગ્રામને સફળ બનાવવ જેલ અધિક્ષક ડી. એમ. ગોહેલ અને જેલર પી.એમ.ચાવડા હાજર રહ્યા હતા





