મોરબીની બજારમાં વેપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરતા આપના કાર્યકર્તા

મોરબી: ગુજરાતમાં થોડા સમય પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર પંકજ પટેલ દ્વારા મોરબીની બજારમાં વેપારી લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી જન સંવાદ કર્યો હતો. અને આમ આદમી પાર્ટીએ આપેલ ગેરંટી પત્રિકા બધા વેપારીઓ સુધી પહોંચાડી હતિ. વેપારીઓનો ઉત્સાહ જોતા પરીવર્તન આવશે તેવુ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.







