મોરબીના વિશિપરા વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું.
મોરબીના વિશિપરામા પ્રજાપત કારખાના સામે રહેતા ૨૫ વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિશિપરામા પ્રજાપત કારખાના સામે રહેતા વલ્લભભાઈ દેવજીભાઈ તરવાડિયા ઉ.25 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





