મોરબીના લાયન્સ નગરમાં રહેતા એક યુવકએ ગળે ફાંકા પોતાનું જીવન ટુંકાવ્યું.
મોરબી ના લાયન્સ નગરમાં રહેતા ૪૩ વર્ષીય યુવકએ અગમ્ય કારણોસર પોતાના ઘરે તારીખ ૧૭ ના રોજ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું ત્યારે આ અંગે મૃત્યુ નોંધ કરી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમા શેરી નં -૨ રામાપીરના મંદિર પાસે રહેતા કમલેશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૩)એ ગત તા.૧૭-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





