મોરબી: મોરબી તાલુકાના નવાં સાદુળકા ગામની સીમમાં સગીરાએ કોઈ કારણસર ગળો ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવાં સાદુળકા ગામે શિવ શક્તિ ઈન્ડસ્ટ્રીઝના લેબર કવારટરમા રહેતી ૧૭ વર્ષીય સીમાબેન આમીચંદ ભીલએ ગત તા.૦૩ના રોજ કોઈ કારણોસર ગળો ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું.સગીરાએ ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





