Sunday, June 21, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ભાવપુષ્પ અર્પણ કરી

Advertisement
Advertisement
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧ર૧મી જન્મ જયંતિએ ભાવપુષ્પ અર્પણ કરી આદરાંજલિ આપી હતી રાજ્યની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો, આઝાદી ચળવળના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્ર વિધાનસભા ભવનમાં રાખવામાં આવેલા છે. આ મહાનુભાવોને તેમની જન્મતિથી એ ભાવાંજલિ અર્પણ કરવાની પરંપરા રૂપે આજે મુખ્યમંત્રીએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીના તૈલચિત્ર સમક્ષ પુષ્પાંજલિ કરી હતી મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યમંત્રી ડો.કુબેરભાઈ ડીન્ડોર, ધારાસભ્યો પ્રદિપસિંહ જાડેજા, શંભુજી ઠાકોર ,મેયર હિતેશ મકવાણા,મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને વિધાનસભા સચિવાલયના અધિકારીઓ આ વેળાએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં જોડાયા હતા

Related Articles

Total Website visit

1,608,892

TRENDING NOW