માળીયા: જુના ઘાંટીલા યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ ૨૬ ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે ૯-૦૦કલાકે નાટક અને કોમિક રજૂ કરવામાં આવશે.
જુના ઘાંટીલા ગામે યુવા ગ્રુપ દ્વારા આથમણા ઝાપે જુના ઘાંટીલા ગામ ની પવિત્ર રંગભૂમિ પર ફરી એકવાર મહાન ઐતિહાસિક નાટક રાજા ભરથરી અને સાથે જ હાસ્યના ફુવારા છુટે તેવું કોમિક દિ ઉઠાડિયો દામલે રજુ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે જુના ઘાંટીલા યુવા ગ્રુપ અને ઘાંટીલા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
:અભિલાષા:
સેવા ની સાથે સંસ્કૃતીના જતન માટે હંમેશા ખડેપગે રહેતું અમારું જુના ઘાંટીલા ગામ સમસ્ત યુવા ગ્રુપ તમોને આવકારવા સદૈવ ઉત્સુક હોય છે.તો અમને આશા છે કે તમે આ ગામ સમસ્ત ના સાંસ્કૃતિક પ્રસંગ માં જરૂર હાજરી આપશો એવી ગામ સમસ્ત અભિલાષા રાખીએ છીએ.





